વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મનકી બાતનો 99મો કાર્યક્રમ કર્યો છે. મન કી બાત કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન મોદીએ દેશના નાગરીકોને સંબોધિત કરતાં કહ્યું છે. તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નો આજે 99મો એપિસોડ છે. આજે પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં ખેડૂતો, સૌરઉર્જા, તહેવાર, સંસ્કૃતિ-પરંપરા અને ભારતીય દીકરીઓ સહિતના મુદ્દા પર વાત કરી હતી ..
દીકરીઓ ભારતના સપનાને ઉર્જા આપી રહી છેઃ PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "નાગાલેન્ડમાં 75 વર્ષમાં પહેલીવાર બે મહિલા ધારાસભ્યપદ જીતીને વિધાનસભા પહોંચ્યા હતા . જેમાંથી એક નાગાલેન્ડ સરકારના મંત્રી પણ બન્યા છે, એટલે કે રાજ્યને પહેલીવાર મહિલા મંત્રી પણ મળ્યા છે. સાથીઓ, થોડા દિવસ પહેલા મારી મુલાકાલ એ જાંબાઝ દીકરીઓ સાથે થઈ હતી, જેઓ તુર્કીના વિનાશકારી ભૂકંપ પછી ત્યાંના લોકોને મદદ કરી હતી. આ તમામ NDRFની સ્ક્વોડમાં સામેલ હતી. તેમના સાહસ અને કુશળતાની આખી દુનિયામાં પ્રશંસા થઈ રહી છે."