ગરમી થી બચવા માટેના ઉપાય
વરિયાળીનો રસ
જો કોઇ વ્યક્તિને લૂ લાગી હોય તો વરિયાળીના રસનો ઉપયોગ કરી શકાય છે. વરિયાળીની તાસીર ઠંડી હોય છે. તેથી તેના રસમાં બે ટીપા ફુદીનાનો રસ અને બે ચમચી ગ્લુકોઝ પાઉડર મિક્સ કરો અને તેનું સેવન કરો.
નારિયેળ પાણી
નારિયેળ પાણી હિટ સ્ટ્રોક સામે રક્ષણ આપી શકે છે. કાચા નારિયેળના ગરને પહેલાં પીસી લો. ત્યાર બાદ તેમાં કાળું જીરું મિક્સ કરીને તેનું સેવન કરો. આવું કરવાથી લૂમાં તાત્કાલિક રાહત મળશે. ડુંગળીના રસના ઉપયોગથી પણ હિટ સ્ટ્રોકની સમસ્યા દૂર કરી શકાય છે. ડુંગળીના રસને ચેસ્ટ એરિયા પર ઘસવાથી પણ લૂની સમસ્યા દૂર થઇ શકે છે.
ફુદીનાનું પાણી
ફુદીનાના ઉપયોગથી પણ લૂની સમસ્યા દૂર કરી શકાય છે. ફુદીનાના પાનને પીસી તેમાં બે મરી ઉમેરો અને ફરી પીસી લો. હવે પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવાથી હિટ સ્ટ્રોકની સમસ્યા દૂર થશે. જ્યારે કોઇ વ્યક્તિને લૂ લાગે છે ત્યારે તેના શરીરનું તાપમાન વધી જાય છે એવામાં વધારે ઠંડું પાણી પીવાથી સમસ્યા વધી શકે છે. વ્યક્તિએ આવી સ્થિતિમાં સામાન્ય ઠંડું અથવા માટલાનું પાણી પીવું જોઇએ.
લીંબુના ના રસ નું સેવન કરો ..